પ્રધાનમંત્રી આવાસ યોજના | PradhanMantri Awas Yojana Gramin | Pm Awas Yojana 2023 | Pradhan Mantri Awas Yojana list
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કુટુંબોને "પોતાના સ્વપ્નનું ઘર" મળી રહે અને તેમનું જીવનધોરણ સારૂ થાય. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ઘર વિહોણા લાભાર્થીઓને કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાકુ આવાસ પુરુ પાડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) તા.૨૦-૧૧-૨૦૧૬થી અમલમાં મુકવામાં આવી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ કોને મળે ( Pradhan Mantri Awas Yojana Eligibility )
એસઈસીસી-૧૧માં સમાવેશ થયેલ, બી.પી.એલ. લાભાર્થી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, પાત્રતા ધરાવતા અને ગ્રામીણ વિસ્તારના લાભાર્થીને રૂ. ૧,૨૦,૦૦૦ની સહાય મળવાપાત્ર છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ કેટલો મળે
કુલ સહાય- રૂ. ૧,૨૦,૦૦૦/-
• પ્રથમ હપતો રૂ. ૩૦,૦૦૦/- (આવાસ મંજૂરીના હૂકમ સાથે)
• બીજો હપતા રૂ. ૫૦,૦૦૦/- (આવાસનું બાંધકામ વિન્ડોસીલ)
• ત્રીજો હપતો રૂ. ૪૦,૦૦૦/- (શૌચાલય સાથે આવાસનું બાંધકામ પૂર્ણ થયેલ)
પ્રધાનમંત્રી આવાસ યોજના કયા કયા પુરાવા જોઈએ ( Pradhan Mantri Awas Yojana Documents in Gujarati )
• આવકનો દાખલો
• જાતિનો દાખલો
• બેંક ખાતાની નકલ
• આધારકાર્ડની નકલ
• રેશનકાર્ડની નકલ
• બી.પી.એલનો દાખલો
• જમીનની ૭-૧૨ની નકલ
• ગ્રામ સભાનો ઠરાવ
• પાસપોર્ટ સાઈઝના ૨ ફોટા
• ઘરથાળનો પ્લૉટ આકારણી
• બાંધકામ રજાચિઠ્ઠી
પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ
• ગ્રામસેવક દ્વારા અરજી કરાવવી
• તાલુકા પંચાયત કચેરી ફોર્મ મેળવવો
અથવા
Pradhan Mantri Awas Yojana Gujarat online apply
Online Apply Click Here
પ્રધાનમંત્રી આવાસ યોજના હેલ્પલાઇન નંબર ૧૮૦૦૧૧૬૪૪૬